વડોદરાઃ જિલ્લામાં દેવું વધી જવાને કારણે પિતા અને પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આ ઘટના વડોદરા જિલ્લાના કરોળિયા ગામની છે. જ્યાં પિતા-પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. બંન્નેએ મહીસાગર નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાધ ધરી છે. 


પ્રાપ્ત વિગત અનનુસાર વડોદરા જિલ્લાના કરોળિયા ગામે રહેતા હરીશ પરમારે તેના 13 વર્ષના પુત્ર સાથે નદીમાં ઝંડપાલીને જીવન ટૂંકાવ્યું છે. દેવું વધી જવાને કારણે આત્મહત્યા કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેવાને કારણે રાજ્યમાં અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે.