અમદાવાદ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે. ગુજરાતનાં દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગનું અનુમાન છે કે, 18 મેના રોજ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારા નજીક પહોંચશે. ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે. વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. વાવાઝોડાની અસર 15 મેથી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીના અનુસાર 16થી 18 મેના રોજ ગુજરાતનાં કેટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 


16 મેના રોજ અમદાવાદ, કચ્છ, દેવભુમિ દ્વારકા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, તાપી વલસાડ અને  નવસારીમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ગીર સોમનાથ અને દીવમાં ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 


17 મેના રોજ બનાસકાંઠા, કચ્છ, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 


18 મેના રોજ ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડુ પહોંચી જશે. જેના કારણે ગુજરાતનાં સમગ્ર વાતાવરણમાં પલટો આવશે. સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. બોટાદ, મોરબી, રાજકોટ, દીવ, કચ્છ, દેવભુમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં દરિયા કિનારા વિસ્તારમાં જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube