મૌલિક ધામેચા, અતુલ તિવારી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાયેલી છે. આગના પગલે કેટલાક કોરોના  દર્દીઓના પણ મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ રાત્રે 3 વાગે આગ લાગી હતી. આગના કારણની તપાસ ચાલુ છે. આ હોસ્પિટલમાં કુલ 49 લોકો દાખલ હતાં. આઈસીયુમાં દાખલ 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલા સામેલ છે.  જ્યારે 41ને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. 


મૃતકોના નામ આ પ્રમાણે છે...
1. આયેશાબેન તિમીજી
2. મનુભાઈ રામી
3. જ્યોતિબેન સિંધી
4. અરવિંદભાઈ ભાવસાર
5. નરેન્દ્રભાઈ શાહ
6. લીલાવતીબેન શાહ
7. નવીનલાલ શાહ
8. આરિફભાઈ મન્સુરી


જુઓ LIVE TV