Jungadh Flood Alert : રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. સવારે 4 કલાકમાં 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખંભાળિયામાં 5.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 35 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે.  અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખંભાળિયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં સવા પાંચ ઈંચ વરસાદથી પાણી જ પાણી છે. તો અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. આ વચ્ચે જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે. અવિરત વરસાદથી પાણી ભરાયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે, તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેથી ભારે વરસાદને પગલે જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, ભારે વરસાદને કારણે હાલ ઉબેણ નદી બે કાંઠે વહી રહી છે. આથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે. તથા નદીના પટમાં કોઈને અવર જવર ન કરવા તથા સાવચેતી રાખવા માટે નમ્ર વિનંતિ છે. ભેંસાણ તાલુકાના ગામો એલર્ટ પર છે. ભાટગામ, સુખપુર એલર્ટ પર છે. જુનાગઢ તાલુકાના ભિયાળ, ચોકી, કેરાળા, ઝાલનસર, મજેવાડી, તલિયાધાર એલર્ટ પર છે. તેમજ વંથલી તાલુકાના ગામો એલર્ટ પર છે. 


જુનાગઢ કલેક્ટર ટવીટ કરીને માહિતી આપી કે, ભારે વરસાદને કારણે નીચે મુજબના રસ્તા બંધ છે. આથી આ રસ્તાઓ પર અવર જવર ના કરવા વિનંતી છે.


1. લીંબુડા - માણાવદરનો રસ્તો હાલ બંધ છે.
2. ભીંડોરા - માણાવદર રસ્તો હાલ બંધ છે.
3. નાકરા- ખખાવી રોડ બંધ છે.


જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ


માણાવદર ભારે વરસાદ બાદ એલર્ટ પર 
જુનાગઢ જિલ્લાનો બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થયો છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા છે. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છએ. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે, બીજી તરફ, નીચાણ વાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. માણાવદરના ચાર અને કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના છે. તો નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારમાં માલ ઢોરને પણ ન જવા દેવા તંત્રની તાકીદ કરી છે. 


માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી