Gujarat Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક જૂના જોગીઓની ટિકિટ કાપી નાંખી છે. જેમાં પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, વિજય રૂપાણી સહિત અનેક નેતાઓના લિસ્ટમાં છે. ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68મા ઉદય કાનગડ, 69મા દર્શિતાબેન શાહ, 70મા રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની આ બેઠકો પર પાટીદારોએ લોબિંગ કર્યું હતું, જે સફળ રહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સપ્રક્રિયા હાથ ધરી ત્યારે ચારેય બેઠક માટે 50થી વધુ લોકોએ દાવેદારી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી રીતે દાવેદારી કરી નહોતી, પરંતુ તેમના નિકટના ટેકેદારોએ રૂપાણીને ટિકિટ મળે તેવી આગ્રહપૂર્વકની રજૂઆત કરી હતી. રૂપાણી નહીં તો નીતિન ભારદ્વાજ માટે પણ ભારે લોબિંગ થયું હતું. હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જાહેરસભામાં એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે.


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જાહેરસભા નિવેદન
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેરસભામાં જણાવ્યું હતું કે, ભાજપની પ્રણાલી રહી છે કે નવા લોકોને તક આપવામાં આવે છે. રાજકોટના કાર્યકર્તાઓએ જનસંઘ વખતથી જ કામ કર્યું છે. રાજકોટના કાર્યકર્તાઓને કહેવું ન પડે કે કામે લાગી જાવ. આપણે ત્યાં જૂથવાદ નથી, પાર્ટીએ જે નક્કી કર્યું તે સ્વીકારી કામે લાગી જવાનું હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube