સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લીના મેઘરજના નવા ગામ પાસે આવેલા સાધુઓને સ્થાનિકો દ્વારા બાંધીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ સાધુ-સંતોને નકલી સાધુઓ સમજીને દોરડા વડે બાંધીને ચાર જેટલા ઇસમોએ ઢોરમાર માર્યો હતો. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોકરાઓ ઉઠાવતી ગેંગ હોવાનો આક્ષેપ કરીને અરવલ્લી જિલ્લાના મેધરજ તાલુકાના નવાગામ પાસે આવેલા સાધુઓ પર આરોપ લગાવામાં આવ્યો કે, તેઓ બાળકો ઉઠાવાની ગેંગના સભ્યો છે. અને તેમને ચાર જેટલા ઇસમો દ્વારા ખોટા આક્ષેપો કરીને દોરડા વડે માર મારવામાં આવી રહ્યો હતો.



આ વીડિયો વાયરલ થતા સાધુ સંતોને માર મારનાર લોકો સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે, કે આ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાધુ સંતોને માર મારીને તેમને લોખંડના સળીયા પાસે દોરડા પર બાંધી દેવામાં આવ્યા હતા. અને તેના ફોટો અને વીડિયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા છે.