જૂનાગઢઃ શહેરમાં જળપ્રલયના બે દિવસ બાદ જૂનાગઢમાં એક મોટી હોનારત સર્જાઈ ગઈ. શહેરના કડિયાવાડ વિસ્તારમાં 2 માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. દુખદ વાત એ છે કે ચારમાંથી 3 મૃતક એક જ પરિવારના છે. જેમાં રિક્ષા લઈને શાકભાજી લેવા નિકળેલા પરિવારના બે બાળકો અને પિતાનું મોત થયું છે. જ્યારે અન્ય ચાની દુકાન ચલાવતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બપોરના 12 વાગ્યાની આસપાસ શહેરના દાતાર રોડ પરના કડિયાવાડ વિસ્તારમાં 2 માળનું એક મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. મકાન પત્તાની જેમ ધસી પડ્યું. મકાન પડતાં જ આસપાસ દોડધામ મચી ગઈ... મકાનના કાટમાળ તળે કેટલાક લોકો દટાઈ ગયા..કલાકોની જહેમત બાદ કાટમાળમાંથી ચારેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. 


હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો ભારે પડશે, રાજ્યમાં એક મહિનો ચાલશે મેગા ડ્રાઇવ


ગિરનાર પર પડેલા અતિભારે વરસાદને કારણે આવેલું પૂર કુદરતી હોનારત છે. જો કે જર્જરિત મકાન પડે તે ઘટના માનવસર્જિત છે. આ દુર્ઘટના બાદ જૂનાગઢ મનપાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. કેમ કે તૂટી પડેલી ઈમારત જર્જરિત હતી.


ડેપ્યુટી મેયર પોતે સ્વીકારે છે કે શહેરમાં હજુ પણ ઘણી જર્જરિત ઈમારતો છે. ધરાશાયી થયેલી ઈમારતની આસપાસ પણ કેટલીક જર્જરિત ઈમારતો છે. હવે તંત્ર આ દુર્ઘટનામાંથી શીખ લે તે જરૂરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube