હિત્તલ પારેખ/ગાંધીનગર: રાજ્યના કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ ફરી એકવખત ચર્ચામાં આવ્યા છે. અને ચર્ચામાં આવવાનું કારણ બીજું કંઈ નહીં પણ તેમની ટ્વીટ છે. અર્જુનસિંહ ચૌહાણે ટ્વિટ કરી હતી કે રોજ સવારે તમારી પાસે બે વિકલ્પ હોય છે, એક ફરી સુઈ જાઓ અને બીજું તમારા સ્વપ્નને પૂરા કરવા માટે દોડો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન અપાતા મહેમદાવાદમાં ખુશીનો માહોલ છવાયો છે. અર્જુનસિંહને ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ અર્જુનસિંહ ચૌહાણ નડિયાદની મહેમદાવાદ બેઠક પરથી પ્રથમવાર જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube