Cyclone Biparjoy : આ વર્ષે અરબ મહાસાગરમાં ઉઠેલા પહેલા જ ચક્રવાતે બિપોરજોયે બહુ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પરંતુ તેના વચ્ચે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની ઘાતક અસર પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયુ. વાવાઝોડાને કારણે ચોમાસાની ગતિ પર મોટો પ્રભાવ પડે છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઈ-ગોવા, કર્ણાટક-કેરળ અને ગુજરાતમાં તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. અરબ મહાસાગરમાં આ ચક્રવાતી તોફાનને કારણે ભારતને આ વર્ષે દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસાને આગમન માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગના એક્સપર્ટનુ અનુમાન છે કે, તોફાન 12 જુન સુધી એક બહુ જ ગંભીર ચક્રવાત બની જશે. તેની તાકાત શક્તિશાળી હશે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) નું માનવુ છે કે, સમુદ્રની ગરમ સપાટીનું તાપમાન અને અનુકૂળ વાતાવરણ પરિસ્થિતિઓ આ તોફાનની તીવ્રતાને યોગદાન આપી રહી છે. આ સિસ્ટમ આગામી 36 કલાકમાં વધુ તેજ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચમાં સામે આવ્યું કે, અરબ સાગરમાં ચક્રવાતની કેટેગરી, સમયગાળો અને તીવ્રતામાં વધારો થયો છે. જ્યાં વાવાઝોડાની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. તો ગંભીર વાવાઝોડાની સંખ્યામાં 150 ટકા વધારો થયો છે. જળવાયુ પ્રદૂષણને કારણે અરબ સાગરનું ગરમ થવું આ પ્રોસેસમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગત ચક્રવાતોની જેમ બિપોરજોય ચક્રવાતને સમુદ્રના વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે બળ મળી રહ્યું છે. 


વાવાઝોડાના ડરથી કચ્છ ખાલી થવા લાગ્યું, 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાશે


હવામાન નિષ્ણાત જીપી શર્મા જણાવે છે કે, આ ઉપરાંત ગત બે દાયકાથી અરબ મહાસાગરમાં ચક્રવાતોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. બહુ જ ગંભીર પ્રકારની કેટેગરીના ચક્રવાતોની સંખ્યામાં 260 ટકાનો વધારો થયો છે. આ પ્રોસેસને વધુ મજબૂત બનાવે છે વાતાવરણ. સમુદ્રની સપાટીનું તાપમાન (એસએસટી) બહુ જ ગરમ થઈ રહ્યું છે. જેનાથી વાતાવરણમાં વધુ ગરમી અને નરમાશ આવી રહી છે. આ જ સ્થિતિ વાવાઝોડાની તાકાતને વધુ શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. 


 


વાવાઝોડામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ 4 દિવસ ક્યાં ક્યાં વરસાદ આવશે


અરબ સાગરમાં ચક્રવાતની ગતિવિધિમાં વૃદ્ધિ સમુદ્રના વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી નરમાશ સાથે જોડાયેલી છે. સૌથી તાજુ ઉદાહરણ મોચા વાવાઝોડું છે, જે એક બહુ જ ગંભીર ચક્રવાતની તીવ્રતા સુધી જતુ રહ્યું હુતં. ચક્રવાત બિપોરજોયે પણ તેજીથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા તો આક્રમક બની રહી છે. તેણે 48 કલાકથી ઓછા સમયમાં એક ચક્રવાતથી ગંભીર ચક્રવાતનું સ્વરૂપ મેળવી લીધું છે.    


ગાંડાતૂર બનેલા દરિયાને શાંત કરવા પ્રાર્થનાઓનો દોર શરૂ, સરકારના નેતા ભગવાનના શરણે


 એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂઆતની નજીક વિકસિત થનારા ચક્રવાતોની કેટેગરીમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે, તૌકતે વાવાઝોડું. હિન્દ મહાસાગરમાં સાઈક્લોજેનેસિસમાં વધારો જળવાયુ પરિવર્તનના કારણે નબળુ ચોમાસું સંચલનનું પરિણામ છે. સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય રીતે વર્ષના આ સમયે ઉચ્ચ રહે છે. જોકે, વર્તમાનમાં તે સામાન્ય ગરમ તાપમાનથી 2-3 ડિગ્રી વધુ છે. તેનો મતલબ એ છે કે, વાતાવરણમાં વધી ગરમી અને નરમાશ છે. જે ચક્રવાતી તોફાનોને લાંબા સમય સુધી પોતાની તાકાતને બનાવા રાખવામાં મદદ કરે છે. 


 


સંકટના સિગ્નલથી કચ્છ માત્ર એક ડગલુ દૂર : કંડલામાં લાગ્યું અતિભયજનક 10 નંબરનું સિગ્નલ


તેમના અનુસાર, સમુદ્રની સપાટીનું તાપમાન વધી ગયું છે. ભવિષ્યમાં આ તાપમાન હજી વધે તેવી શક્યતા છે. હિંદ મહાસાગરમાં સૌથી ઝડપી સપાટીનું તાપમાન વધ્યું છે. પરિણામે, ગરમ જળવાયુમાં ગંભીર ઉષ્ટકટિબંધીય ચક્રવાતોની તીવ્રતા વધવાની આશા છે. કુલ મળીને, અરબ સાગરમાં ચક્રવાતી તોફાન બિપોરજોયની ઉપસ્થિતિ અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સાથે તેની ગતિવિધિ ક્ષેત્રમાં ચક્રવાતની ગતિવિધિ અને મોસમની પેટર્ન પર ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને સ્પષ્ટ બતાવે છે. 


વાવાઝોડામાં દ્વારકા મંદિરમાં બે ધજા ચડાવાઈ, પૂજારીએ જણાવ્યું આ પાછળનું કારણ