જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદમાં કાલુપુરના દોશીવાળાની પોળમાં આવેલા ગોસ્વામીની હવેલીમાંથી 12 મૂર્તિઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી. મૂર્તિઓની ચોરી થવાની મંદિરના હોદ્દેદારોને જાણ થતા તેમણે આ અંગે કાલુપુર પોલીસ મથકે જાણ કરી હતી. કાલુપુર પોલીસે મંદિરના હોદ્દેદારોની અરજીને લઈ તપાસ હાથધારીઓ છે. જેમાં પોલીસને માલૂમ થયું હતું કે, મંદિરમાંથી મંદિરના ગાદીપતીના નાના ભાઈએ મૂર્તિઓ ગાયબ કરી છે. જે પૈકી હાલ 4 મૂર્તિઓ પોલીસને મળી છે. જ્યારે કે, અન્ય મૂર્તિઓ હજુ પણ ગાયબ છે. પોલીસ હાલ અન્ય મૂર્તિઓની શોધખોળ હાથ ધરી છે. જો મંદિરની અન્ય મૂર્તિઓ પરત નહી મળે તો પોલીસ મૂર્તિઓ ગાયબ કરનારા સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની ફેમસ ‘હોકો ઈટરી’ રેસ્ટોરન્ટની ચણાપુરીમાંથી નીકળ્યો મંકોડો 


કાલુપુરના દોશીવાળાની પોલમાં આવેલા ગોસ્વામીની હવેલીમાંથી ઐતિહાસિક મંદિરમાંથી મંગળવારે મોડી રાતે 12 મૂર્તિઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી. ઐતિહાસિક મૂર્તિઓની ચોરી થયાના સમાચાર મંદિરના હોદ્દેદારોને આ બાબતની જાણ થતા તેમણે આ અંગેની જાણ કાલુપુર પોલીસ મથકે કરી હતી. ત્યારે પોલીસે હાલ મંદિરના હોદ્દેદારોની અરજી લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને માલૂમ થયું હતું કે, ગઈકાલે મોડી રાત્રે મંદિરમાંથી મંદિરના ગાદીપતિના નાના ભાઈએ મૂર્તિઓ ગાયબ કરી છે. જે પૈકી હાલ 4 મૂર્તિઓ પોલીસને મળી છે. જ્યારે કે, અન્ય મૂર્તિઓ હાલ પણ ગાયબ છે. આ મૂર્તિઓ ગાયબ થતા અનેક લોકોની લાગણીઓ દુભાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube