ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે એક સૌથી મોટા ખુશખબર મળી રહ્યા છે. કૃષિ વીજ જોડાણોને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના ખેડૂતોને કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી હવે મુક્તિ મળશે. ખેડૂતોની લોડ વધારાની અરજી બાદ આ નિર્ણય કરાયો છે. હવે ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચૂકવવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કૃષિ વિજ જોડાણોને લઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કૃષિ વીજ જોડાણો બાદ ફીક્સ કનેક્શન ચાર્જમાંથી સરકારે મુક્તિ આપી છે. ખેડૂતો લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખેડૂતોને હવે વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝિટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. 



સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં વધારો
આ સિવાય સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોની લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝીટ ચૂકવવાની રહેશે. કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. સરકારના આ નિર્ણય બાદ હવેથી ગુજરાતના ખેડૂતોએ લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝિટ જ ચૂકવવાની રહેશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, કિસાન સંઘ દ્વારા આ મામલે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કિસાન સંઘની રજૂઆત બાદ સરકારે આ નિર્ણય લીધો છે.