ઝી ન્યૂઝ/ગાંધીનગર: હોળીના અવસર પર કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. નેનો યુરિયા બાદ સરકારે નેનો ડીએપીને મંજૂરી આપી છે. એટલે કે નેનો ડાય એમોનિયમ ફોસ્ફેટને લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ રીતે ભારતે ખાતરમાં આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હવે એક બોરીમાં જેટલું DAP મળશે એટલું  DAPબોટલમાં મળી રહેશે . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતવણી : ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, અચાનક કેસ વધતા IMA એ આપ્યું આ એલર્ટ


કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે Tweet કર્યું છે કે, ખાતરમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટી સિદ્ધિ! નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ આ સફળતા ખેડૂતોને અપાર લાભ આપવા જઈ રહી છે. 


અમદાવાદ રેલવે સ્ટેશન પર આવશે દુબઈ જેવી ફીલિંગ, રેલવેએ શેર કર્યા ભવ્ય કાયાપલટના Pics


હવે ડીએપીની બેગ ડીએપીની બોટલના રૂપમાં પણ ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકાર નેનો પોટાશ, નેનો ઝિંક અને નેનો કોપર ખાતરો પર પણ કામ કરી રહી છે. કંપની ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) તેનું ઉત્પાદન કરી રહી છે. IFFCO ને નેનો યુરિયા અને નેનો DAP માટે 20 વર્ષની પેટન્ટ મળી છે.


કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે


નેનો  DAP શું છે?
આખરે નેનો  DAP શું છે? આ બાબતે ખેડૂતો અને જનતામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ શું છે. નેનો યુરિયાની જેમ નેનો ડીએપી પણ પ્રવાહી સ્વરૂપે ઉપલબ્ધ થશે. અત્યાર સુધી ડીએપી પીળા રંગની કોથળીમાં પાવડર-ગોળીના રૂપમાં ઉપલબ્ધ હતું. પરંતુ હવે તે ખેડૂતોને બોટલમાં ઉપલબ્ધ થશે.


સરકારે સરકારી કર્મચારીઓ માટે લાગૂ કરી જૂની પેન્શન યોજના! જાણો કેવી રીતે મળશે ફાયદો


DAP એ ફોસ્ફેટિક એટલે કે રાસાયણિક ખાતર છે. તે છોડમાં પોષણ, નાઈટ્રોજન અને ફોસ્ફરસની ઉણપને પૂર્ણ કરે છે. આ ડીએપીમાં 18 ટકા નાઇટ્રોજન અને 46 ટકા ફોસ્ફરસ હોય છે. તેના ઉપયોગથી છોડના મૂળમાં સારો વિકાસ થાય છે. એક રીતે આ ખાતર પાકની ઉત્પાદકતા વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.


લગ્ન માટે તૈયાર બોલિવૂડનું વધુ એક કપલ, ઋત્વિક-સબાએ મુંબઈમાં ખરીદ્યું ઘર


પ્રતિ એકર 250 મિલિગ્રામ નેનો ડીએપી ફાયદાકારક
નેનો ડીએપીનો પાકમાં 2 વાર ઉપયોગ કરાય છે. છે. પ્રથમ વખત તેનો ઉપયોગ બીજની માવજત માટે કરવો જોઈએ એટલે કે ડાંગરની નર્સરીના મૂળને નેનો ડીએપી સોલ્યુશનમાં પલાળી રાખ્યા પછી ડાંગરની રોપણી કરતા પહેલા. આ પછી, નેનો ડીએપી દ્રાવણનો 25 થી 30 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. 250 મિલિગ્રામ નેનો ડીએપી પ્રતિ એકર વિસ્તારમાં ફાયદાકારક છે.