પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યભમાં વિરોધ વચ્ચે આજે સુરતમાં પરસોત્તમ રૂપાલાનાં સમર્થનમાં સ્નેહમિલન યોજવા જઈ રહ્યુ છે. મોટા વરાછા ગોપી ફાર્મમાં સ્નેહમિલન યોજાશે. સુરતમાં વસતા રાજકોટ વાસીઓ સાથે સ્નેહમિલનમાં ચર્ચા કરશે. આજ વિસ્તારમા કોંગ્રેસના ઉમેદવારની પણ સભા યોજવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, આપનાં નેતા ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા પહેલાં ઘઉંની ખરીદી અંગે સરકારનો મોટો નિર્ણય! કરોડો ખેડૂતોને થશે સીધી અસર 


પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલી ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલીયાએ ક્ષત્રિય સમાજની માંગને સમજ સમર્થન નિવેદન આપ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપે સમાજની માંગણીને સ્વીકારી જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે એટલો વિશાળ સમાજની માંગ હોવા છતાં હટાવતા નથી. .



મીન રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 ગ્રહ મળીને 4 રાશિને કરાવશે બંપર ફાયદો


સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત નથી થઈ રહ્યો. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે ત્યાં હવે પરશોતમ રૂપાલાનો આ વિવાદ હવે સમગ્ર દેશવ્યાપી બન્યો ગયો છે. રૂપાલાના સમર્થન માટે પાટીદાર સમાજે કેમ્પેઈનનોની શરૂઆત કરી છે. પાટીદાર સમાજના યુવાનોએ હેશટેગ આઈ એમ વિથ રૂપાલાના નામ સાથે સમર્થન જાહેર કર્યું છે.


પ્રેમ, અફેર અને કંફ્યુઝનની ખીચડી છે વિદ્યા બાલનની નવી ફિલ્મ, જુઓ મજેદાર Trailer 


રાજકોટમાં રૂપાલા જ ઉમેદવાર રહેશે તેવા વીડિયો બનાવીને પાટીદાર સમાજના યુવાનો પોસ્ટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ સમર્થનથી રૂપાલાને હાંશકારો થયો છે. રાજકીય નેતાઓએ પણ રૂપાલાનું સમર્થન કરવા અને તેમની સાથે અડખમ રીતે ઉભા રહેવા માટે લોકોને અપીલ કરી છે.