તેજસ દવે/મહેસાણા: સુપ્રસિદ્ધ ગણપતિ દાદાના ધામ એવા ઐઠોર ગામે ગણપતિ મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. જેમાં ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. ત્રણ દિવસ યોજાતા ભવ્યાતિભવ્ય શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલર્ટ! ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત


પહેલા આ મેળામાં બત્રીસીના શુકન પણ જોવાતા હતા. તે ગામમાં આવતા નાયક ભાઈઓ તથા ગામની મોટી ઉંમરના વડીલો અને બહાર ગામથી આવતા વડીલોના મુખેથી બોલવામાં આવતા શબ્દો પરથી તેનું અર્થઘટન કરવામાં આવતું. પરંતુ, વાણીની આપ-લે માં ઘણી વખત ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતા હવે ગામના વડીલો અને નાયાક્ભાઈઓ સાથે મળીને ફૂલો અને અનાજના શુકન જુએ છે. અને શુકન પ્રમાણે તલાટી શુકન લખતા જાય છે. ઉપરાંત રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનું વર્ષફળ એટલેકે વરતાળો કાઢવામાં આવે છે.


આ ખેડૂત કરે છે એવુ કામ કે દૂરદૂરથી જોવા આવે છે લોકો,નોકરી છોડી વિકસાવ્યો નવો ટ્રેન્ડ


શું છે આ શુકન મેળાનો ઈતિહાસ?
ત્રી-દિવસીય શુકન મેળામાં વર્ષફળ જોવાય છે. વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરાય છે. ફૂલ અને અનાજ પરથી વર્ષનો વરતાળો કઢાય છે. દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે.


શિક્ષકે ટ્યુશનમાં આવતા બે બાળકોને દેખાડ્યા અશ્લીલ વીડિયો,હેવાનીયતની તમામ હદો કરી પાર


ગામના વડીલો અને નાયાક્ ભાઈઓ સાથે મળીને ફૂલો અને અનાજના શુકન જુએ છે. શુકન પ્રમાણે તલાટી શાહીની કલમથી શુકન લખતા જાય છે. રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનો વરતાળો કાઢવામાં આવે છે.


પાટીદારો ડોલર કમાવવામાં શૂરા આ મહેણું ભાગ્યું! પાટીદાર યુવકે સમગ્ર વિશ્વમાં વગાડ્યો