ચેતન પટેલ/સુરત :સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેંકરિયા હત્યા કેસમાં 5 મેના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સજા સંભળાવવામાં આવશે. ગત સુનાવણીમાં ફેનિલ ગોયાણીને કોર્ટ દોષિત જાહેર કર્યો હતો. ત્યારે હાલ સૌની નજર ફેનિલની સજા પર છે. ગ્રીષ્માના પરિવારજનો પણ અનેકવાર ન્યાયની અપીલ કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલની સજા પર આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં 5 મેના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સજા સંભળાવવામાં આવશે. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા આ હત્યાકાંડમાં સુરત સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલો આજે ફરી દલીલ કરી હતી. ફેનિલને દોષિત  ઠેરવતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે ફેનિલે આવેશમાં આવીને ગ્રીષ્માની હત્યા નથી કરી, આ હત્યા પૂર્વઆયોજિત કાવતરું હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેંકરિયાની હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં  વાયરલ થયો હતો અને રાજ્યભરમાંથી આરોપી ફેનિલને કડક સજાની માગ ઉઠી હતી. આ કેસમાં સરકારે ત્વરિત એક્શન લેતા SITની રચના કરી હતી. અને SIT એ આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે હવે કોર્ટમાં ફરી સુનાવણી થઈ રહી છે.


આ પણ વાંચો : દીકરીના પ્રેમલગ્ન સામે પાટીદારોએ બાંયો ચઢાવી, સમાજ લગાવવા જઈ રહ્યું છે નવા નિયમો 


કોર્ટે પુરાવા માટે 35 વાર જોયો વીડિયો
ફેનિલને દોષિત જાહેર કરતા કોર્ટે કહ્યું કે, જે લોકોએ આ વીડિયો ઉતાર્યો છે તે અનાયાસે ઉતાર્યો છે. જે કેસનો મહત્વનો પુરાવો બન્યો છે. આ પુરાવો સત્ય સાબિત થયો છે. અમારા માટે આ વીડિયો જોવો મુશ્કેલ ન હતો. ન્યાય માટે અમે વારંવાર તેને જોયો. બચાવ પક્ષે ફેનિલ ગ્રીષ્મા માટે જે પ્રેમની વાત કરી તે વીડિયોમાં ક્યાંય જણાતી નથી. આરોપીની માનસિકતા બહુ જ ક્રુર છે. 


ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો અને રાજ્યભરમાંથી આરોપી ફેનિલને કડક સજાની માગ ઉઠી હતી. આ કેસમાં સરકારે ત્વરિત એક્શન લેતા SITની રચના કરી હતી અને SITએ આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો : 


મધરાતે ચૂપચાપ મેલડી માતાના મંદિરમાં પશુ લાવીને તેની બલિ ચઢાવાઈ, વીડિયો જોઈ અરેરાટી થઈ જશે


બોટાદના જીવદયા પ્રેમીનું અનોખું અભિયાન, કૃષ્ણસાગર તળાવમાં પાણી વગર મરતા માછલાને બચાવ્યા