ઝી બ્યૂરો, અમદાવાદઃ રવિવારનો દિવસ હોવાથી લોકો હોંશેહોંશે પોતાના પરિવાર અને સ્વજનો સાથે મોરબીના ઝૂલતા બ્રિજની મુલાકાતે ગયા હતાં. રવિવારને કારણે બ્રિજ આખો ચિક્કાર થઈ ગયો હતો. કોઈ સેલ્ફી લઈ રહ્યું હતું તો કોઈ બ્રિજ પરની નીચેનો નજારો નિહાળી રહ્યું હતું. પણ તેમને ક્યાં ખબર હતી કે મોત તેમના માથે મંડરાઈ રહ્યું છે. અચાનક બ્રિજ તૂટી પડ્યો અને 140 કરતા વધારે લોકોના મોત નિપજ્યાં. આ ગોજારી ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 સભ્યોના પણ મોત નિપજ્યાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારનો દિવસ માત્ર મોરબી જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે દુઃખના સમાચાર લઈને આવ્યો. મોરબીમાં ઈતિહાસ પુલ પર સંખ્યાબંધ લોકો એક સાથે એકત્ર થયા અને અચાનક બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ તૂટી પડતા સંખ્યાબંધ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube