ગુજરાતના કચ્છા જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી વાવાઝોડું બિપરજોયના સંભવિત આગમનના બે દિવસ પહેલા અધિકારીઓએ મંગળવારે કાંઠા વિસ્તારોમાંથી લગભગ 30,000 જેટલા લોકોને અસ્થાયી આશ્રય સ્થળોએ ખસેડ્યા. અત્યંત ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ચૂકેલું બિપરજોય ચક્રવાત 15 જૂનના રોજ બપોરની આજુબાજુ તે સૌરાષ્ટ્ર-કચ્છ તથા તેની નજીક આવેલા પાકિસ્તાનના કાંઠા વિસ્તારોથી પસાર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએમડી મુજબ ઉત્તર પૂર્વ અને આજુબાજુના પૂર્વ મધ્ય અરબ સાગરમાં સમુદ્રની સ્થિતિ અભૂતપૂર્વ (10થી 14 મીટર સુધી ઊંચી લહેરો ઉઠી શકે છે) છે. હવામાન ખાતાએ 15 જૂન સુધી ઓઈલ ગતિવિધિ, જહાજની અવરજવર અને માછીમારી સહિત તમામ ગતિવિધિઓને સંપૂર્ણ રીતે સ્થગિત કરવાની ભલામણ કરી છે. હવામાન ખાતાએ દુનિયામાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગિર  રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય પ્રસિદ્ધ સ્થળો જેમ કે સોમનાથ મંદિરમાં સ્થિતિની નીકટતાથી નિગરાણી કરવાની ભલામણ કરી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube