Loksabha Election 2024:  ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપ મિશન મોડમાં આવી ગયું છે. જેના કારણે ફરી એકવાર પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. મહીસાગરમાં AAPને ઝટકો આપ્યા બાદ હવે ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધ્યું છે. ચર્ચા છે કે આ નેતાઓ ટૂંક સમયમાં ભગવો ધારણ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટી જીત અપાવવા માટે પોતાની યોજના શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણીના ટી-20 મોડના કારણે કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતનાર ભાજપ આ વખતે જીતનું માર્જિન વધારવા માંગે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક જીત અપાવીને નવા હીરો તરીકે ઉભરેલા સી.આર.પાટીલે પાંચ લાખ મતોની સરસાઈથી લોકસભાની તમામ બેઠકો જીતવાનો પ્લાન બનાવ્યો છે. આ યોજનાને પૂર્ણ કરવા માટે ભાજપે મિશન હેવીવેઈટ હન્ટ શરૂ કર્યું છે. આ અંતર્ગત પાર્ટી અન્ય પાર્ટીઓમાં હાજર રહેલા ભૂતપૂર્વ ભાજપ અને યોગ્ય જન આધાર ધરાવતા નેતાઓને ભગવો પહેરાવવાની યોજના પર કામ કરી રહી છે. મહીસાગર જિલ્લામાં AAPને અપસેટ કર્યા બાદ પાર્ટી હવે બનાસકાંઠામાં કોંગ્રેસને વધુ નબળી બનાવવાના મિશન પર છે. 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. આ અંગે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે બેઠક કરી ચૂક્યા છે. જો આમ થશે તો બનાસકાંઠામાં કોંગ્રેસને જોરદાર ફટકો પડી શકે છે.


કેરળમાં આવી ગયું ચોમાસું, આ તારીખે ગુજરાતમાં થશે વરસાદની એન્ટ્રી


સાત વખત ચૂંટણી લડ્યા છે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જો કે આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. જો ગોવાભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો ડીસા વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠામાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત થશે.  ભાજપના ગેમ પ્લાનમાં માત્ર ગોવાભાઈ રબારી જ નથી પરંતુ ઉત્તર ગુજરાતના અન્ય કેટલાક નેતાઓ પણ છે. આ સિવાય બીજા તબક્કામાં પાર્ટી સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓને પણ ભાજપમાં સામેલ કરી શકે છે.


સુરતનો પોલીસ કોન્સ્ટેબલ ગુમ, દિલ્હી પોલીસ ઉઠાવી ગયાના 8 મહિનામાં કોઈ અત્તોપત્તો નથી


પટેલની Tweet થી રાજકારણ ગરમાયું
રાજ્યમાં ખોવાયેલું મેદાન મેળવવા માટે કોંગ્રેસ જનમંચ દ્વારા લોકોમાં પહોંચી રહી છે. પાર્ટી વિધાયક દળના નેતા અમિત ચાવડા કર્ણાટકના ડીકે શિવકુમારની તર્જ પર સખત મહેનત કરી રહ્યા છે, જ્યારે પાર્ટીના નેતાઓ જુદી જુદી સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ કોંગ્રેસમાં સક્રિય છે, પરંતુ તેમના ભાઈ ફૈઝલ પટેલે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાથેની મુલાકાતની તસવીરો પોસ્ટ કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અટકળો ચાલી રહી છે કે શું ફૈઝલ પણ ભાજપમાં જોડાશે? જો આમ થશે તો ચોક્કસ કોંગ્રેસ કેડરમાં સારો સંદેશ નહીં જાય.


મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી જુઓ, આવુ હશે ગુજરાતનું ભવિષ્ય? શાળા વગર કેવી રીતે ભણવું


કોંગ્રેસ ફફડી ગઈ
લોકસભા ચૂંટણીને લઈને ભાજપના આક્રમક મિજાજને કારણે કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની મોટી હાર બાદ રાજ્યના નેતૃત્વમાં ફેરબદલ સામે આવ્યો છે. કોંગ્રેસે હારના કારણો જાણવા માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પણ રચના કરી હતી, પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે જગદીશ ઠાકોર લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે કે નવા પ્રમુખ અને પ્રભારીની નિમણૂંક કરવામાં આવશે. પાર્ટીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મુખ્ય નિરીક્ષક અને તેમના વિશ્વાસુ લેફ્ટનન્ટ રઘુ શર્માને વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી બનાવ્યા હતા. રઘુ શર્માની દરેક રણનીતિ ખરાબ રીતે નિષ્ફળ ગઈ. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કમર કસી છે કે પછી ચૂંટણી પહેલા શરણાગતિ ચાલુ રાખે છે, જો કે ભાજપની આ યોજના જાહેર થયા બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા પ્રમુખ અને પ્રભારીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. જો આમ થશે તો પાર્ટીના વર્તમાન નેતૃત્વથી અસંતુષ્ટ નેતાઓ પાર્ટી નહીં છોડી શકે.


ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું : આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે