Ahmedabad: ગુજરાતમાં નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની તાજપોશી બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોહિલે રાજ્યમાં રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના નેતાઓને પક્ષમાં પાછા ફરવાની અપીલ કરી છે, જ્યારે ગોહિલની અપીલ બાદ ભાજપે તેમને મોટો ઝટકો આપ્યો છે. ઉત્તર ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠામાં આયોજિત એક મોટા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમને ખેસ અને ટોપી પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે ચાર્જ સંભાળ્યાના થોડા કલાકો બાદ ગોવાભાઈ રબારીએ પાર્ટી છોડી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોવાભાઈ રબારીને અફસોસ થશે
બનાસકાંઠાની ડીસા બેઠકના એકસમયના ધારાસભ્ય ગોવાભાઈ રબારી તેમના પુત્ર સાગર રબારી અને અન્ય પદાધિકારીઓ સાથે ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તમારો પ્રેમ અને ઉત્સાહ જોઈને મને લાગે છે કે ગોવાભાઈએ ભાજપમાં આવવામાં થોડો સમય લીધો. જો તેઓ થોડા વહેલા આવ્યા હોત તો આજે ગોવાભાઈ પણ ગુજરાત સરકારમાં કોઈ જગ્યાએ બેઠા હોત. પાટીલે કહ્યું કે જે સમાજનું નેતૃત્વ કરે છે અને સમાજના લોકોને અધિકારો આપી શકતા નથી. ગોવાભાઈ રબારીને ખબર પડી કે હું જે પક્ષ સાથે જોડાયેલો છું. તેની સાથે રહીને હું મારા લોકોને અધિકારો અપાવી શકીશ નહીં એમના કામ કરાવી શકીશ નહિ. આ પછી તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. પાટીલે કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના છે પણ ગુજરાતમાં પણ તેઓ ઉત્તર ગુજરાતના છે. તેથી જ તમારો તેમના પર સૌથી વધુ અધિકાર છે. એટલું જ નહીં અમિત શાહ પણ ઉત્તર ગુજરાતના છે. બે મહારથી ઉત્તર ગુજરાતના છે. ગોવા રબારીએ એવા સમયે પાર્ટી છોડી દીધી જ્યારે કોંગ્રેસના નવા પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલે ઘરે પરત ફરવાની અપીલ કરી છે.


આ પણ વાંચોઃ રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષોની પરંપરા મુજબ મોકલાવ્યો પ્રસાદ


પ્રથમ દિવસે આંચકો
18મી જૂને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયા બાદ શક્તિસિંહ ગોહિલે પદયાત્રા કરી હતી અને પછી પાર્ટી કાર્યાલય પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વિવિધ કારણોસર કોંગ્રેસ છોડી ગયેલા તમામને ગોહિલ આવકારે છે. ગોહિલે કહ્યું કે આવા તમામ નેતાઓએ પરત ફરવાનું વિચારવું જોઈએ. ગોહિલની અપીલના બીજા જ દિવસે ઉત્તર ગુજરાતમાં 35 વર્ષથી પ્રભુત્વ ધરાવતા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ રબારી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ અનેક નેતાઓ અને ધારાસભ્યોએ પાર્ટી છોડીને ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. ગોવા રબારી પુત્ર સંજય રબારી સાથે ભાજપમાં જોડાયા. થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. જે સફળ રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube