Parshottam Rupala : લોકસભાની ચૂંટણી પહેલાં જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુ:ખાવો બન્યું છે. જાહેરમાં બે-બે વાર માફી માગવા છતાં ક્ષત્રિયો વિવાદ શાંત કરવા તૈયાર નથી. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ત્યારે આ જ માગને પુરી કરવા માટે ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધની તૈયારી કરી લીધી છે. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં છે. ક્ષત્રિયોનો રોષ પરશોત્તમ રૂપાલા સામે સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લાઓમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે. તો મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદમાં તો ઉત્તર ગુજરાતમાં પાટણમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. આમ, ગુજરાતના કુલ 10 જેટલા જિલ્લામાં રૂપાલા સામે રાજપૂતો બગડ્યા છે. હવે અમદાવાદમાં ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. આજે સમસ્ત ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી આવેદન પત્ર આપશે. આ વચ્ચે હવે પાટીલે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂ કરી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર 
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા. 


જમ ઘર ભાળી જતા ગુજરાતમાં ભાજપે સ્ટ્રેટેજી બદલી, છેલ્લી ઘડીએ માસ્ટર સ્ટ્રોક મારશે


સુરેન્દ્રનગરમાં ભાજપ માટે પ્રવેશબંધી
પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીકા ટીપ્પણીઓ મામલે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી કેસરિયા પેઢડા મોઢવાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવી અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી 5 ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી મૂકાઈ છે. પહેલાથી જ સુરેન્દ્રનગર ભાજપમાં લોકસભાની બેઠક ઉપર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપ્યા બાદ ઉકળતો ચરૂ છે. ત્યાં બીજી તરફ હવે પ્રવેશબંધીના પોસ્ટર વોરથી ભાજપની ચિંતા વધી.


એપ્રિલમાં એકસાથે બે આગાહી : ગરમી તો પડશે જ, આ તારીખથી વરસાદ પણ આવશે