બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સમેટાઈ રહી છે. કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી રહી છે. યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. રાજીનામુ આપતા તેમણે કોંગ્રેસ પર મોટો આક્ષેપ મૂક્યો કે, 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. સાથે જ તેમણે પરિવારવાદ અંગે લઈને વિશ્વનાથ વાઘેલાએ આરોપ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા
કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકો સમાન છે. સાથે જ વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે. રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપ મૂક્યા છે. વિશ્વનાથ વાઘેલાએ આરોપ કર્યાં કે, કોંગ્રેસ પરિવારની ભક્તિ કરવા માટે છે. હાલની કોંગ્રેસ દેશની સેવા માટે નથી. 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. છતાં હું સિનિયર નેતાના આંતરિક જૂથવાદનો ભોગ બન્યો છું. યુવાનો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.  


આ પણ વાંચો : PM મોદીને થયો હતો ગણેશજીની હાજરીનો અહેસાસ! ખાસ છે કૈલાશ માનસરોવરનો આ કિસ્સો...


કોંગ્રેસ છોડવાનું વિશ્વનાથનું દર્દ
તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, એવા પક્ષ સાથે કામ કરીશું તો લોકસેવા કરીશું. ધીરે ધીરે ખબર પડી કે, હવે નવી કોંગ્રેસ બની છે. કચવાટ અને મૂંઝવણ સાથે કોંગ્રેસમા કામ કરતા રહ્યાં. મારા પિતા પોલીસ ખાતામાં હતા, તેથી પીએસઆઈ બનાવીને કારકિર્દી બનાવી શકત. પરંતું કોંગ્રેસ માટે 8 લાખ 40 હજાર જેટલા મેમ્બર બનાવ્યા. એક મેમ્બરના 50 રૂપિયા, અમે મતદારો બનાવીને ફી ભરી. મારા પિતા ગુજરી ગયા પછી જે રૂપિયા આવ્યા હતા તે પણ ચૂંટણીમાં વાપરી નાંખ્યા. ચૂંટણી જીત્યા પછી મને આનંદ પણ થયો. પરંતુ બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસને તેનો ગર્વ નથી. મને ફેલ કરવાની સ્ટ્રેટેજી બનાવી. વિશ્વનાથને ફેલ કરવા યૂથ કોંગ્રેસને ફેલ કરવાની. હવે મારી સહનશક્તિએ જવાબ આપ્યો. હુ નહિ મારી પહેલાના કાર્યકર્તાઓએ પણ આ જોયું છે. હું પાર્ટી છોડું એટલે મને ગદ્દાર કહેશે. પરંતુ હુ સંઘર્ષ કરીને તમારી સિસ્ટમમાં રહીને પ્રદેશ પ્રમુખ બન્યો. તેને મદદ કરવાને બદલે મારી ટીકા કરી. મને કચરો જાય છે તેવું કહ્યું. હું છેલ્લા પંદર વીસ દિવસથી મૂંઝવણ અનુભવતો હતો. સંઘર્ષ હજી પણ કરીશું, પરંતુ એવુ થાય કે આ એનર્જિ આ રૂપિયા વેડફીને શું મળશો. અમારા જેવા સેંકડો કાર્યકર્તા તમારી પાસે આવે ત્યારે કોઈ મદદ ન કરે, અને હેરાન કરે ત્યારે દુખ થાય છે. દુખ સાથે કોંગ્રેસ છોડી છે. રાજકારણમાંથી રાજીનામુ આપ્યુ નથી, પણ કોંગ્રેસમાંથી આપ્યું છે. હજી પણ રાજકારણ કરવાના ઘણા સ્કોપ છે. સહનશક્તિ ઘટી એટલે રાજીનામુ આપ્યું છે. સામાન્ય ઘરથી યુવાન ચૂંટણી લડે તો પાર્ટીને ગર્વ તો હોવો જોઈએ. પરંતુ એ ન થયો. પાર્ટીમાં જે અંદરો અંદર લડે છે તેમના ઝગડા બંધ કરવા જોઈએ. મેં આ મુદ્દે શ્રીનિવાસને ફોન કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. 


આ પણ વાંચો : રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા, ચાલુ ક્લાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનનું આલિંગન, અને બીજો તો ખતરનાક છે... 


8 મહિનામાં જ વિશ્વાનાથ વાઘેલાનું રાજીનામું
કોંગ્રેસ ફરી એકવાર તૂટી છે. 8 મહિનામાં જ વિશ્વનાથ વાઘેલાએ પક્ષને પ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું છે. ગત ડિસેમ્બરમાં તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. પ્રાથમિક સૂત્રોનુ કહેવુ છે કે, કોંગ્રેસના કેટલાક સિનીયર નેતાઓ ભાજપમાં જોડાવાના છે, તે કડીમાં આ પહેલુ રાજીનામુ હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસના યુવા નેતા હાર્દીક પટેલના નજીકના વ્યક્તિ છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમય NSUI મા અલગ અલગ પ્રદેશ-રાષ્ટ્રીય હોદાઓ સાથે જોડાયેલા છે.



પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે
બીજી તરફ, વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસના નેતાઓ સક્રિય થયા છે. આ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાતમા આવવાનુ શિડ્યુલ ગોઠવાઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવીને ચૂંટણી માટે પ્રચાર કરશે. આગામી 3 મહિના સુધી બન્ને નેતાઓના મહત્વના કાર્યક્રમ ગોઠવાયા છે. કોંગ્રેસના 2 CM અને સિનિયર નેતાઓ પણ ગુજરાતમાં ધામા કહેશે. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચારમાં જોડાશે. રાહુલ ગાંધીના 5 સપ્ટેમ્બર બાદ પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે. 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરશે. મારુ બુથ, મારુ ગૌરવના નારા સાથે પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળશે. જેમાં 52 હજાર બુથને સાચવવા કોંગ્રેસનું બુથસ્તરે સંમેલનનું આયોજન કરાયું છે. વિધાનસભાના ઉમેદવારની પ્રથમ યાદી અંગે રાહુલ ગાંધી ચર્ચા કરશે.