ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ ફરી 1012 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 954 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6274 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6262 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,36,985 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,970 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 312 અને બેના મોત થયા છે. મહેસાણામાં 99, વડોદરા કોર્પોરેશન 79, કચ્છ 52, સુરત કોર્પોરેશન 48, વડોદરા 44, ગાંધીનગર 31, સાબરકાંઠા 30, ગાંધીનગર કોર્પોરેશન 28, અમરેલી 27, સુરત 27, રાજકોટ કોર્પોરેશન 23, ભાવનગર કોર્પોરેશન 22, બનાસકાંઠા 19, પાટણ 18, રાજકોટ 18, પોરબંદર 17, મોરબી 14, નવસારી 14, ભરૂચ 13, આણંદ 10, વલસાડ 10 એમ કુલ 1012 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 6,47,663 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3843 ને રસીનો પ્રથમ અને 10820 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 2239 ને રસીનો પ્રથમ અને 1274 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 103619 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 4403 ને રસીનો પ્રથમ અને 4636 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 516829 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,62,08,356 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube