ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે સતત પાંચમાં દિવસે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી ઓછા કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,955 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 12,995 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 75.37 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- ‘મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’, સ્નેહભર્યા શબ્દો સાંભળી આંખમાંથી સરી જશે આંસુ...


અત્યાર સુધીમાં 1,00,91,519 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 27,51,964 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,28,43,483 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 52,528 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 30,678 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- યુવતીને વીડિયો કોલ કરી નગ્ન થઈ કર્યા બીભત્સ ચેનચાળા, સાયબર સેલે ભણાવ્યો પાઠ


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,48,124 એક્ટિવ દર્દી છે, જે પૈકી 792 લોકો વેન્ટિલેટર પર છે અને 1,47,332 લોકો સ્ટેબલ છે. 4,77,391 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 7,912 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 3 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.


આ પણ વાંચો:- રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓના મોત, ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો કરાશે જાહેર


આ ઉપરાંત મહેસાણામાં 2, વડોદરામાં 5, જામનગરમાં 5, સુરતમાં 5, પંચમહાલમાં 2, નવસારીમાં 1, દાહોદમાં 1, સુરેન્દ્રનગરમાં 2, જુનાગઢમાં 5, ગીર સોમનાથમાં 1, મહીસાગરમાં 2, ખેડામાં 2, કચ્છમાં 3, રાજકોટમાં 6, આણંદમાં 1, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 4, પાટણમાં 1, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 1, છોટા ઉદેપુરમાં 1, વલસાડમાં 1, મોરબીમાં 1, ભરૂચમાં 2, નર્મદામાં 2, ભાવનગરમાં 5, અમદાવાદમાં 1 અને બોટાદમાં 1 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 133 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube