ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,097 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 6,479 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,67,972 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 76.38 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં થયા દાખલ


અત્યાર સુધીમાં 92,99,215 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 18,71,782 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,11,70,997 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 76,136 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 80,910 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- અમદાવાદ સહિત આ શહેરોમાં થન્ડરસ્ટોર્મની આગાહી, વરસાદ સાથે 40 km કલાકની ઝડપે ફૂંકાશે પવન


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,07,594 એક્ટિવ દર્દી છે, જે પૈકી 396 લોકો વેન્ટિલેટર પર છે અને 1,07,198 લોકો સ્ટેબલ છે. 3,67,972 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,171 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 9, જામનગર કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 4 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીના મોત થયા છે.


આ પણ વાંચો:- કોરોના દર્દીઓની સેવામાં ખડેપગ હોસ્પિટલનો સ્ટાફ, આ પ્રકારની આપવામાં આવે છે સુવિધાઓ


આ ઉપરાંત સુરતમાં 3, મહેસાણામાં 4, બનાસકાંઠામાં 3, જામનગરમાં 7, વડોદરામાં 5, પાટણમાં 2, સાબરકાંઠામાં 6, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 2, મહિસાગરમાં 2, વલસાડમાં 2, તાપીમાં 1, અમરેલીમાં 2, સુરેન્દ્રનગરમાં 6, આણંદમાં 1, અરવલ્લીમાં 2, અમદાવાદમાં 1, મોરબીમાં 5, પોરબંદરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, ડાંગમાં 3, રાજકોટમાં 4, અને બોટાદમાં 1 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 152 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube