ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 9,001 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 6,69,490 દર્દીઓ કોરોનાને માક આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 86.94 ટકાએ પહોંચ્યો હતો.


આ પણ વાંચો:- PM મોદીની જાહેરાત બાદ CM રૂપાણીએ કરી આ જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 92,617 એક્ટિવ દર્દી છે, જે પૈકી 742 લોકો વેન્ટિલેટર પર છે અને 91,875 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 6,69,490 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,340 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.


આ પણ વાંચો:- PM મોદીની ગુજરાતને 1 હજાર કરોડની સહાય, મૃતકોના પરિવારને 2 લાખની સહાય


આ ઉપરાંત વડોદરામાં 3, જૂનાગઢમાં 4, પંચમહાલમાં 1, આણંદમાં 3, રાજકોટમાં 3, અમરેલીમાં 2, સાબરકાંઠામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1, ખેડામાં 1, ભરૂચમાં 3, મહેસાણામાં 3, બનાસકાંઠામાં 3, સુરતમાં 2, જામનગરમાં 1, નર્મદામાં 1, દેવભૂમી દ્વારકામાં 1, ગાંધીનગરમાં 2, અરવલ્લીમાં 1, અમદાવાદમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 71 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube