ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 351 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 248 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2566 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઈ નાગરિક વેન્ટિલેટર પર નથી, આ ઉપરાંત 2566 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,967 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5, ગાંધીનગર 5, ગાંધીનગર 5, જામનગર 5, ભરૂચ 4, પાટણ 4, રાજકોટ કોર્પોરેશન 4, અમદાવાદ 3, મોરબી 3, સુરેન્દ્રનગર 3, કચ્છ 2, મહેસાણા 2, ભાવનગર 1, બોટાદ 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ 1, સાબરકાંઠા 1 અને વડોદરા 1 એમ કુલ 351 કેસ નોંધાયા છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 718 નાગરિકોને રસીનો પ્રથમ અને 6028 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 442 ને રસીનો પ્રથમ અને 1219 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 17483 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3035 ને રસીનો પ્રથમ અને 5306 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 34,231 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,12,50,038 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube