ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 10 કેસ આવ્યા હતા. તો બીજી તરફ 10 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં 12,12,926 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે રાજ્યનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 4776 ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બે દિવસ રહેવું મુશ્કેલ બની જશે, સુર્યદેવ સાક્ષાત ગુજરાતનાં મહેમાન બની 122 વર્ષ જુનો રેકોર્ડ તોડશે


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 64 કેસ એક્ટિવ છે. જે પૈકી 01 નાગરિકો વેન્ટીલેટર પર છે. 63 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 12,12,926 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાં. 10,942 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. આજે નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 3, પાટણમાં 3, મહેસાણામાં 2, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 કેસ નોંધાયો છે. 


ગુજરાતમાં ગન મેળવવી હોય તો કરવું પડશે આટલું કામ, કોણ મેળવી શકે છે બંદૂકનું લાયસન્સ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 185 નાગરિકોને રસીનો પ્રથમ, 2640 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાં 15-17 વર્ષના તરૂણો પૈકી 49 ને રસીનો પ્રથમ જ્યારે 510 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 1039 નાગરિકોને પ્રિકોર્શન અને 12-14 વર્ષના કિશોરો પૈકી 353 ને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 4776 કુલ રસીના ડોઝ અપાયા છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10,62,61,463 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube