ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો હોય તેવી સ્થિતિ થઇ છે. રાજ્યનાં આજે માત્ર 10 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,154 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. અત્યાર સુધીમાં કુલ 4,32,039 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GPCB ને હપ્તો આપો પછી આખા ગુજરાતની પથારી ફેરવો? કેનાલમાંથી ઘાતક કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. 147 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,15,154 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. 


ગુજરાતમાં સર્જાત ભોપાલકાંડ? કેમિકલ બ્લાસ્ટ એટલો ભયાનક કે રિએક્ટર જમીનમાં સમાઇ ગયું!


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 19 વર્કરને રસીનો પ્રથમ ડોઝ અને 4602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વદારેની ઉંમરના 73211 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 52664 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 227450 નાગરિકોને રસીનો પ્રથમ અને 74093 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4,32,039 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,54,69,490 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube