અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 1049 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 879 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,66,468 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.11 ટકા થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પેટા ચૂંટણીમાં ભાજપનું ક્લિન સ્વિપ: જાણો કોને કેટલા મત મળ્યા, કેટલી લીડથી જીત્યું તમામ આંકડાકીય માહિતી


રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 814.77 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 65,72,903 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,96,526 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,96,436 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. 


Gujarat Bypoll : જાણો ભુંડા પરાજય બાદ હાર્દિક પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ શું કહ્યું?


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,478 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 12409 લોકો સ્ટેબલ છે. 1,66,468 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3773 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 05 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 3, રાજકોટ 1, અને સુરત કોર્પોરેશનના 1 દર્દી સહિત કુલ 4 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube