અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે રાજ્યમાં કોવિડ 19થી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 15,198 દર્દીઓને સાજા થયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે 2,18,513 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 10,990 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર પણ 80.04 ટકાએ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1,31,832 એક્ટિવ કેસ છે. જે પૈકી 798 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 13,1034 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 5,63,133 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યું છે. કુલ 8629 લોકોનાં મોત થયા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 118 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube