ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,916 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં રસીના કુલ 27,005 ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કમળે કિચ્ચડ ફેલાવ્યું, તેને સાફ કરવા ઝાડુંને એક તક આપો તમારી આશા પર ખરા ઉતરીશું


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 64 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 62 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,12,916 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત 10,942 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 4, આણંદમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2 અને પંચમહાલમાં 1 નવો કેસ નોંધાયો હતો. 


સુરતમાં અંગત મિત્રોએ મળીને પોતાના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું અને તેની પત્ની...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2208 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 10733 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 418 ને રસીનો પ્રથમ જ્યારે 2249 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 4905 ને પ્રિકોર્શન ડોઝ અને 12-14 વર્ષના તરૂણો પૈકી 6492 તરૂણોને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આજે 27,005 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,62,56,687 ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube