ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે તો બીજી તરફ 19 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,042 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 6234 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનો ગુંડાગર્દીનો વાયરસ હવે ભરૂચ પહોંચ્યો, 20 રૂપિયાના પેટ્રોલ માટે આખો પંપ બાનમાં લેવામાં આવ્યો


હાલ રાજ્યમાં કુલ 154 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 154 નાગરિકો સ્ટેબલ છે. 12,13,042 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી નિપજ્યું જે રાહતના સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3 અને ગીર સોમનાથમાં 1 નાગરિકનું મોત થયું છે. 


PM મોદી હનુમાન જયંતિ પર 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ, 4 ધામ પ્રોજેક્ટનો ભાગ છે આ મૂર્તિ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 181 નાગરિકોને રસીનો પ્રથમ અને 2104 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 41 ને રસીનો પ્રથમ અને 180 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 2788 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 202 ને રસીનો પ્રથમ અને 738 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6234 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,66,72,162 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube