ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 57 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,886 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 71,781 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 72 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 74 નાગરિકો સ્ટેબલ છે. તો બીજી તરફ 12,12,886 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 



નવા આવેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ગાંધીનગર 1, રાજકોટ કોર્પોરશન 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1 એમ કુલ 11 કેસ નોંધાયા છે.



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2241 ને રસીનો પ્રથમ જ્યારે 17374 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1196 ને પ્રથમ અને 5918 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 13184 ને પ્રીકોર્શન ડોઝ જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 31868 ને પ્રથમ ડોઝ અપાય હતો. આ પ્રકારે કુલ 71,781 રસીના ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,61,62,817 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube