ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ફરીએકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 111 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 2,13,972 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પોલીસની બુટલેગરોને ઓફર! : ‘તમે ખાલી ઓર્ડર લો દારૂ અમે પહોંચાડી દઇશું’


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 668 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટિલેટર પર છે. 656 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં 1 અને આણંદમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10108 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે. નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશન 11, વડોદરા કોર્પોરેશન 10, કચ્છ-વલસાડ 5, ખેડા નવસારી -4, આણંદ રાજકોટમાં 3, મહીસાગરમાં 2, ભાવનગર કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 



ગુજરાતની ધુરા હવે યુવાઓના મજબૂત હાથમાં, ગ્રામ પંચાયતમાં હવે 21 વર્ષીય સંરપંચનું રાજ ચાલશે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3ને પ્રથમ અને 676 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષ કે તેનાથી વધારેના 5878 નાગરિકોને રસીનો પ્રથમ અને 47900 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20924 નાગરિકોને રસીનો પ્રથમ અને 138591 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,13,972 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,78,97,734 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube