ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર વેક્સિનેશનના મોરચે પણ ખુબ જ ઝડપથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં 2,40,985 લોકોનું રસીકરણ માત્ર એક જ દિવસમાં થયું છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.33 ટકા સુધી પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 112 કેસ સામે આવ્યા છે.  305 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,09,506 દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3687 કેસ એક્ટિવ છે. જે પૈકી 21 વેન્ટિલેટર પર છે. 3666 લોકો સ્ટેબલ છે. 809506 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. 10051 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે ભાવનગરમાં 1,વડોદરામાં 1 અને અમદાવાદ કોર્પોરેશનમાં એક -એક દર્દીનાં મોત નિપજ્યાં છે. 


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 144 ને પ્રથમ અને 9097 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના લોકો પૈકી 35564 ને પ્રથમ ડોઝ અને 47362 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 141791 લોકોને પ્રથમ અને 7027 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube