હિતલ પારેખ/ અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1175 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 11 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,55,098 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,36,641 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,598 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ


કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 784.51 ટેસ્ટ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 51,65,670 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,175 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,36,541 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 88.04 ટકા છે.


આ પણ વાંચો:- પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે માગ્યા વધુ રૂપિયા


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,74,682 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,74,441 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 241 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- ઝારખંડથી માત્ર આ કામ માટે વિમાનમાં બેસી આવતા ગુજરાત, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,959 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 14,880 લોકો સ્ટેબલ છે. 1,36,541 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,598 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 11 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, પાટણમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube