ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે 1274 કોરોનાના કેસ આવ્યા છે. તો બીજી તરફ 3022 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમા કુલ 11,90,271 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 97.94 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 78107 કુલ ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 14211 એક્ટિવ કેસ છે. જે પૈકી 103 વેન્ટીલેટર પર છે. જ્યારે 14108 સ્ટેબલ છે. 1190271 નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10808 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 13 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. 


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4ને પ્રથમ અને 29ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1726 ને પ્રથમ 4720 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 6883 ને પ્રથમ 25039 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4062 ને રસીનો પ્રથમ અને 24788 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 10856 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે 78107 કુલ રસીના ડોઝ અપાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube