ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,066 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 5,01,845 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધારે મજબુત બનાવવા નવા 19 પોલીસ સ્ટેશન, 8 આઉટપોસ્ટ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 166 સ્ટેબલ છે. 8,15,066 નાગરિકો સ્ટેબલ છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે, કોરોનાને કારણે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 3 કેસ, સુરતમાં 3, અમરેલી, ગાંધીનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન  અને સુરત  કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. 


પોતે દુધ પીવે છે એવી 9 મહિનાની વાછરડી આપી રહી છે દુધ, લોકોમાં ભારે આશ્ચર્ય


તો બીજી તરફ રસીકરણના મોરચે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. હેલ્થકેર વર્કર્સ પૈકી 16 વર્કર્સને રસીનો પ્રથમ જ્યારે 4952 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 85689 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 75700 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 264887 યુવાઓને રસીનો પ્રથમ જ્યારે 70601 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે એક જ દિવસમાં 5,01,845 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube