ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 15 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 09 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,243 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 98,402 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં એક સ્ટેટસ મુકવું શિક્ષિકાને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક્કા ખાય છે


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 105 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ વ્યક્તિ વેન્ટીલેટર પર નથી. તમામ 105 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,243 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. કુલ નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, આણંદ, ગાંધીનગર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 


ગુજરાતમાં પાણીનો પોકાર: તંત્રના સબ સલામતના દાવાઓ વચ્ચે અહીં પાણી માટે વલખે છે લોકો


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1107 ને રસીનો પ્રથમ અને 13203 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 383 ને રસીનો પ્રથમ અને 3576 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 11629 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 10472 ને રસીનો પ્રથમ અને 58032 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે કુલ 98402 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 10,75,08,122 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube