ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના (Coronavirus) નવા માત્ર 15 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,15,423 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી (Covid-19) સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. ત્યારે રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3 લાખથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 145 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,423 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. કોરોના (Covid) ને કારણે 10,082 નાગરિકોના અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. 


આ પણ વાંચો:- સોશિયલ મીડિયામાં ભાજપને ખુલ્લી ધમકી, કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જોખમમાં મુકાતા કોળી સમાજ આવ્યો મેદાનમાં


અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં કોર્પોરેશનમાં 4, જામનગરમાં 2, રાજકોટમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2 અને કચ્છમાં 1 એમ કુલ 15 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 8, કચ્છમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 2, વડોદરામાં 1 અને સુરતમાં 1 એમ કુલ 18 દર્દી સાજા થયા છે.


આ પણ વાંચો:- મોતની દાસ્તાન સાક્ષીની જૂબાની: પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર, મોતના મુખમાંથી આ રીતે બચ્યો ડ્રાઈવર; માલિકનું મોત


જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2,070 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 39,929 નાગરિકોને રસીનો પ્રથમ અને 44,680 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 1,17,118 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,60,402 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,64,206 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,33,19,834 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube