ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 16 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 5,05,671 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT ના હજુરિયા ખજુરિયા કાંડ બાદ હવે દાહોદની ખજૂરીયા ગેંગનો પર્દાફાશ
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 149 કોરોનાના કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે. જ્યારે 146 સ્ટેબલ છે. 8,15,599 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. જે રાજ્રાય માટે રાહતના સમાચાર ગણાવી શકાય. 


AHMEDABAD માં ચકચારી ફાર્મ હાઉસ હત્યાકાંડમાં આવ્યો ચોંકાવનારો વળાંક


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 13ને પ્રથમ ડોઝ અને 2569 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 66282 નાગરિકોને રસીનો પ્રથમ અને 65756 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,83,155 ને રસીનો પ્રથમ જ્યારે 1,87,896 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,05,671 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. આ પ્રકારે કુલ 5,93,80,142 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube