ગાંધીનગર :  રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 16 કેસ જ નોંધાયા છે. તો બીજી તરપ 28 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,830 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી  રહ્યો છે. રાજ્યમાં કોરોનાતી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,24,168 દર્દીઓનું રસીકરણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: સિનિયર સિટીઝનને માર મારનાર પોલીસ કર્મીની ધરપકડ, સીસીટીવીમાં કેદ થઇ દાદાગીરી


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 194 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે. 191 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સાહરવાર લઇને 814830 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10077 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.     જો કે રાહતની વાત કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. 27 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, ગીર સોમનાથ, જામનગર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. 


VADODARA ના વેપારીને મોટો ઓર્ડર ભારે પડ્યો, માર તો ખાધા સાથે લાખો રૂપિયા પણ ગુમાવ્યા


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 63 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 10172 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 34610 નાગરિકોને રસીનો પ્રથમ અને 159960 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 93157 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 26206 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 3,24,168 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 3,79,56, 872 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube