ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 162 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 386 દર્દીઓ રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 12,09,534દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થવાનો દર ણ 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના 22,118 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામિનારાયણ સંપ્રદાય હવે યુદ્ધનો અખાડો બની ચુક્યો છે? વધારે બે મહંતો વચ્ચો સત્તા મુદ્દે ખેંચતાણ


રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2049 એક્ટિવ કેસ છે. જે પૈકી 23 નાગરિકો વેન્ટીલેટર પર છે. 2026 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1209534 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ કોરોનાને કારણે કુલ 10928 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે માત્ર 2 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયા હતા. 


કાયદો અને વ્યવસ્થાના ચિંથરે હાલ: સુરતમાં બબાલમાં વચ્ચે પડેલા એક યુવકને મળ્યું મોત


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4 ને પ્રથમ ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 655 ને પ્રથમ અને 1956 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2332 અને 10707 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 686 ને પ્રથમ અને 8894 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 2884 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજે રસીના કુલ 28117 ડોઝ અપાયા હતા જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,29,52,792 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube