ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અનિર્ણિત છે. રાજ્યમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ સુધીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં રસીના કુલ 5,24,249 ડોઝ અપાઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓ માટે હરખના સમાચાર, ગરબાને સરકારે શરતી મંજૂરી આપી, જાણો શું રહેશે નિયમ


જો એક્ટિવ કેસની વાત કરીએ રાજ્યમાં કુલ 145 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 141 સ્ટેબલ છે. 8,15,587 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે અત્યાર સુધીમાં કુલ 10082 નાગરિકોના કોરોનાને કારણે મોત પણ થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું તે ગુજરાત માટે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય. નવા આવેલા કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3 અને કચ્છ, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. 


શાળાઓ પાસે પુસ્તકો નથી, વિદ્યાર્થીઓ પુસ્તક વગર પરીક્ષા આપવા મજબુર, સરકારના સબ સલામતના દાવા


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 43 ને રસીનો પ્રથમ જ્યારે 3818 નાગરિકોને રસીનો બીજો ડોઝ આજના દિવસમાં અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 69910 નાગરિકોને રસીનો પ્રથમ અને 74839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના 1,81,572 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,94,067 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધી 5,24,249 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,88,74,471 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube