ગાંધીનગર :  ગુજરાતમાં ભારે રાજકીય ઉથલપાથલ વચ્ચે કોરોનાન આંકડા આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. તો 14 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 1,74,377 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MAHESANA માં નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી ન શકે


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 165 એક્ટીવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 160 નાગરિકો સ્ટેબલ છે. 8,15,370 નાગરિકોને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં મોત અત્યાર સુધીમાં કોરોનાને કારણે થયા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જે ગુજરાત માટે એક હકારાત્મક બાબત ગણાવી શકાય.


નવનિયુક્ત ભૂપેન્દ્ર પટેલ 2.30 વાગ્યે શપથ ગ્રહણ કરશે, ઘરે લાપસીના આંધણ મુકાયા


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 કર્મચારીને રસીનો પ્રથમ ડોઝ અને 1611 વર્કર્સને રસીના બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 25466 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21379 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 74546 નાગરિકોને રસીનો પ્રથમ અને 51367 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 1,74,377 કુલ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,24,28,148 ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube