ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો આંકડો સ્થિર થઇ ચુક્યો હતો જો કે આજે અચાનક કોરોનાના કેસ બમણા નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,220 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,49,699 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ આ જ જોવાનું બાકી હતું: આ ક્ષેત્રમાં મહિલાઓનું પદાર્પણ, પોલીસ પણ માથુ પકડીને બેઠી છે


રાજ્યમાં હાલ કુલ 173 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. 168 નાગરિકો સ્ટેબલ છે. 8,16,220 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10088 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. વડોદરા કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 4, આણંદ 3, રાજકોટ કોર્પોરેશન 2, વલસાડ 2 અને રાજકોટમાંથી 1 કેસ નોંધાયો છે. 


પોલીસ આંદોલન યથાવત્ત? જો માંગ સંતોષાય તો જ નહી તો છેલ્લા શ્વાસ સુધી આંદોલન ચાલુ રહેશે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3ને રસીનો પ્રથમ જ્યારે 1481 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 10704 નાગરિકોને રસીનો પ્રથમ અને 58733 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34135 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144643 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 249699 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,95,77,967 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube