ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા કેસ 10 ના આંકડા સુધી જઇને ફરી એકવાર કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 17 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 15 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે 8,15,311 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેથી કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 પર પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. આજે 5,32,588 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, વીજળી પડતા 5 ના મોત, રસ્તાઓ પર નદીઓ વહેતી થતા ગાડીઓ તણાઇ, ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 145 નાગરિકો સ્ટેબલ છે. 8,15,311 નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવી ચુક્યા છે. તો 10082 નાગરિકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ, સુરત, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશનમાં 3-3 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. 


ઠગ ટોળકી બેફામ: તાજ મહેલ બાદ હવે અમદાવાદનું સરકારી તળાવ પણ વેચાઇ ગયું


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 37 કર્મચારીને રસીનો પ્રથમ અને 4288 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી ઉંમરના 76070 નાગરિકોને રસીનો પ્રથમ અને 69915 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 228026 નાગરિકોને રસીનો પ્રથમ અને 154252 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,32,588 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,07,95,349 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube