ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં 18 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 10 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,284 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 96,479 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇ પ્રોફાઇલ યુવતીઓ લગ્ન પછી સુહાગ રાત્રે પણ બાપના બગીચામાં ફરજીયાત જવું પડતું, કારણ કે...


બીજી તરફ જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 113 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 111 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,13,284 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. પરંતુ રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું નથી. રાજ્યમાં આજે કોરોનાના કુલ 18 કેસ નોંધાયા તે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત-વડોદરામાં 2-2 અને ભરૂચ તથા ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા હતા. 


અમદાવાદમાં TRB જવાન સાથે ફિલ્મી દ્રશ્યો સર્જનારા આરોપીની ધરપકડ કરવામાં આવી


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 1000 ને રસીનો પ્રથમ અને 11403 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 469 અને રસીનો પ્રથમ અને 4310 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 12700 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 7501 ને રસીનો પ્રથમ જ્યારે 59114 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 96,497 રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,78,61,431 ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube