ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,351 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 38,215 ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા વિશ્વનો નાશ થતો અટકાવવો હોય તો ઉત્તર ગુજરાતનું પાટણ જ છે એક માત્ર વિકલ્પ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 110 કેસ એક્ટિવ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 108 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,351 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરામાં 3, ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. 


બિલ્ડિંગોને સુંદર બનાવવા વપરાતા કાચ અને AC આ વિશ્વનો સર્વનાશ કરશે? સ્ફોટક સંશોધન


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 810 ને પ્રથમ તથા 7650 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 297 ને પ્રથમ અને 1752 ને રસીનો બીજો ડોઝ અફાયો હતો. આ ઉપરાંત 7606 ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 2866 ને રસીનો પ્રથમ અને 17234 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રાકરે 38,215 કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 10,80,04,853 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube