ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 18 કેસ મળી આવ્યા છે. તો બીજી તરફ 21 દર્દી સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા પર પહોંચ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 5,58,054 ડોઝ રસીના અપાઇ ચુક્યા છે. તો 8,15,296 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NDRF ની ટીમો સાબદી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગાહી અનુસાર મેઘો મંડાયો, 104 તાલુકા તરબોળ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો 149 કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 143 સ્ટેબલ છે. 8,15,296 નાગરિકો ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય. અમદાવાદ કોર્પોરેશનમાં આજના દિવસમાં 7 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, કચ્છમાં 2, નવસારીમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશન અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. 


ભ્રષ્ટાચારનો પુલ કકડભૂસ: 2019 માં દોઢ કરોડના ખર્ચે બનાવાયેલો પુલ તુટી પડ્યો


જો રસીકરણની વાત કરીએ રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22ને પ્રથમ ડોઝ અને 4360 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45વર્ષથી વધારેની ઉંમરના 84514 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 72775 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના પ244418 નાગરિકોને રસીનો પ્રથમ અને 151965 નાગરિકોને રસીનો બીજો ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જે પૈકી 5,58,054 નાગરિકોને રસી આપવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube